જામનગર તા.7:
રૂપાલાના વિવાદી વિધાનો અને તેના પરિણામે રાજપુત આંદોલનના કાર્યક્રમોની હારમાળા સર્જાઈ જતાં 12-જામનગર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવેલા 1881 મતદાન મથકોમાંથી તંત્રએ અગાઉ ગણેલા સંવેદનશીલ મથકોમાં 65નો વધારો થયો છે. નવા નોંધાયેલા તમામ મતદાન મથકો જામનગર જિલ્લાના જ છે.
દ્વારકા જિલ્લામાં એક પણ વધારાનું સંવેદશીલ મતદાન મથક નોંધાયું નથી. જામનગર માં લોકસભાની ચુંટણી અંતર્ગત અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્રારા છેલ્લા 15 દિવસમાં 8 હજારથી વધુ અલગ-અલગ ગુનાના ગુનેગારો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તેમજ 1 હજારથી વધુ પ્રોહીબીશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 1392થી વધુ હથિયારો પોલીસ સ્ટેશને જમા લઈ લીધા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy