(ફારૂક ચૌહાણ)વઢવાણ,તા.24
ધ્રાંગધ્રા ખાતે ક્ષત્રિય સમાજનું ધર્મરથ આવતા ધાંગધ્રા આંબેડકર ખાતે ધર્મ રત્ન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નવશાદભાઈ સોલંકી દ્વારા પણ ધર્મ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને ધર્મરથ રેલી સ્વરૂપે ધાંગધ્રા રાજમાર્ગ ઉપર ફરી અને ગ્રીન ચોકમાં સભામાં સભાના સ્વરૂપમાં ફેરવાય હતી.
ત્યારે ધર્મરથમાં વિશુભા ઝાલા લલિત સિંહ ઝાલા જનકસિંહ ઝાલા. ક્રીપાલસિહ જાડેજા. રાજદીપસિંહ ઝાલા સહીત મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના લોકો જોડાયા હતા ત્યારે સમાજ દ્વારા રૂપાલા નીવેદન ને લઈને વિરોધ કરી સૂત્રચાર કરવામાં આવેલ શાન્તીમય માહોલ વચ્ચે રેલી અને સભાનો કાર્યક્મ યોજાયો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy