(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ) હળવદ, તા. 25 હળવદ શહેરમાં ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ગઇકાલે આવી પહોંચ્યો હતો રાજકોટના ભાજપ ના ઉમેદવાર પરસોતમ રૂપાલા એ થોડા સમય પહેલા કરેલ વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજનો રોષ ચરમશીમાએ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું તેમ છતાં પણ પરસોતમ રૂપાલની ટિકિટ રદ ન થતા પાર્ટ ટુ ની શરૂઆત કરવામાં આવી છે જેમાં હળવદ શહેરના ત્રણ રસ્તા પર આ ધર્મ રથ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ હળવદ ની સરા નાકા, પરશુરામ મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં અલગ અલગ સમાજના લોકો દ્વારા આ ધર્મ રથ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રૂપાલા હાય હાય, જય ભવાની ભાજપ જવાની ,ક્ષત્રિય એકતા જિંદાબાદ, કમળનું ફૂલ અમારી ભૂલ જેવા નારાઓ લાગ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy