હાથરસની કરુણાંતિકાની અસર

ધીરેન્દ્ર શાસ્ત્રીની ભકતોને અપીલ: આવતીકાલે મારા જન્મદિને બાગેશ્વર ધામ ન આવતા

India | 03 July, 2024 | 03:36 PM
ઘેર હનુમાન ચાલીસાના પાઠ, વૃક્ષારોપણ કરવા અનુરોધ
સાંજ સમાચાર

ટીકમગઢ,તા.3
હાથરસમાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિના સત્સંગ સમાગમમાં ભીડમાં મચેલી ભાગદોડથી મોટી સંખ્યામાં ભાવિકોના મોત થતા તેની અસર બાગેશ્વરધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર થઈ છે.

ખરેખર તો તેમનો આવતીકાલે જન્મ દિવસ હોઈ તેમણે પોતાના ભકતોને સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે, આવતીકાલે તેમના જન્મ દિવસે તેઓ બાગેશ્વર ધામ ન આવે.

કેટલાક સમય પહેલા કહેવાતા ચમત્કારોને લઈને ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવતીકાલે જન્મદિવસ છે. પરંતુ હાથરસમાં ભોલે બાબાના સત્સંગ સમાગમમાં ભીડથી થયેલા અસંખ્ય મોતના કારણે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના ભકતોને બાગેશ્વર ધામ ન આવવા અપીલ કરી છે અને સૌને પોતપોતાના ઘરે હનુમાનચાલીસાના પાઠ, વૃક્ષારોપણ જેવા આયોજનો કરવાનો અનુરોધ કર્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj