ધોરાજી તા.1
ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે રહેતા ખેડૂત અગ્રણી લીલાધરભાઈ લાલજીભાઈ માથુકીયાનું અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કરવા માટે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીને જાણ કરતા સરકારી હોસ્પિટલના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન મેડીકલ ટીમના રોહિત સોંદરવા અને નીતીન ચુડાસમાએ પોતાની સેવાઓ બજાવી હતી. આ તકે જીતેન્દ્રભાઈ માથુકીયા, અરવીંદભાઈ માથુકીયા રોમીનભાઈ માથુકીયા, ભરતભાઈ હિરપરા, જીતુભાઈ હિરપરા, તૈરુત્ય વાગડીયા, ભાવીનભાઈ માથુકીયા, દિનેશભાઈ માથુકીયા, રુચીત માથુકીયા, સેવાભાવી યુવાન કિરણભાઈ વોરા, કિશોરભાઈ સાવલીયા, સહીત એન્જોય ગ્રુપના યુવાનો હાજર રહેલ હતા.
આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકીએ માથુકીયા પરીવારની સેવાઓને બીરદાવી સ્વ. લીલાધરભાઈને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને આ 257મું ચક્ષુદાન મળેલ છે.
ધોરાજી વિસ્તારમાં ચક્ષુદાન, દેહદાન, સ્કીન ડોનેશન માટે મો.નં. 98987 01774, 98987 15757 અને સરકારી હોસ્પિટલ ધોરાજીના 02824-220139 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy