ધોરાજી તા.6
ધોરાજી વકીલ મંડળના પ્રમુખ વી.વી. વઘાસીયા તથા તેમના પત્નિ કંચનબેન દ્વારા સેવાકીય પ્રવૃતિઓ સાથે પોતાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુનાગઢ જીલ્લાના ગામ વડાલ મુકામે આવેલ માનવ જયોત ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત વૃધ્ધાશ્રમમાં વૃધ્ધોને જમાડવામાં આવેલ હતા.
વી.વી. વઘાસીયાનો તા.5/5/1955ના રોજ થયો છે. જન્મ દિવસે ખોટા ખર્ચાઓ કરવાને બદલે વૃધ્ધાશ્રમમાં રહેતા તમામ માતા-પિતાઓને જમાડયા હતા.
આ કામમાં તેમના સાથી વકીલ ગાયત્રીબેન હડીયા તેમજ પ્રિન્સી સતાસીયા તથા આરઝુ વઘાસીયા તથા ખુશી આંબલીયા પણ વી.વી. વઘાસીયા તેમજ તેમના પત્નિના તતા તેમની પુત્રી ડીમ્પલે જન્મદિવસ નીમીતે સેવાના કામમાં જોડાયા હતા.
સને 1982થી વકીલાતનો વ્યવસાય ચાલુ કરેલ અને છેલ્લા 32 વર્ષ ઉપરાંતથી તેઓ ધોરાજી વકીલ મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમજ કોઈપણનું કામ સલાહ અને સમાધાનથી પૂર્ણ થતું હોય ત્યાં સુધી નોટીસનો પણ ખર્ચ કરાવતા નથી. આમ કોર્ટના કેસોનું ભારણ ઓછું કરવામાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે.
સમગ્ર ન્યાયતંત્રના કર્મચારીગણમાં અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ધોરાજી વકીલ મંડળે સારી એવી નામના મેળવેલ છે. વી.વી. વઘાસીયા સ્પષ્ટ વકતા તરીકે જાણીતા છે. તેમને રૂબરૂ તેમજ તેમના મો.નં. 98252 91454 ઉપર તેમના સગા-સબંધી, એડવોકેટો, બાર કાઉન્સિલના સભ્યો, ન્યાયતંત્રના કર્મચારીઓ વિગેરે તરફથી જન્મ દિવસની શુભેચ્છાનો ધોધ વહી રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy