(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી,તા.25
બળાત્કારના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા ધોરાજીની સેશન્સ અદાલત દ્વારા હૂકમ કરાયો છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ઉપલેટા તાલુકાનાં લાઠ ભીમોરા ગામે રહેતાં અને મંજુરી કામ કરતાં ડિકેશભાઈ ધનાભાઈ રેવર ઉપર ભોગ બનનારે એવી ફરીયાદ કરેલ કે આરોપી ડિકેશભાઈ રેવરે પ્રેમ સંબંધનાં બહાને ફરીયાદી સાથે શરીર સંબંધની માંગણી કરેલ.
જેની ના પાડતાં આરોપીએ ફરીયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી અનેક વખત શરીર સંબંધ બાંધેલ અને બળાત્કાર કરેલ. આ કેસ સેશન્સ અદાલતમાં ટ્રાન્સફર થતાં ધોરાજી કોર્ટ દ્વારા આરોપી વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ-376-(2) (એન)તથા 506 (2) મુજબ તહોમતનામું ફરમાવવામાં આવેલ. ત્યાર બાદ ફરીયાદી તથા તેનાં માતા-પિતા અને અન્ય સાહેદોની જુબાનીઓ કોર્ટ દ્વારા લેવામાં આવેલ અને પોલીસ સાહેદો તથા ડોકટરની જુબાનીઓ લેવામાં આવેલ.ત્યાર બાદ ફરીયાદ પક્ષ દ્વારા દલીલ કરવામાં આવેલ અને આરોપી પક્ષે તેમનાં વકીલ ધોરાજીનાં એડવોકેટ ચંદુભાઈ પટેલ દ્વારા વિસ્તૃત દલીલો કરી ઉચ્ચ અદાલતોનાં સિદ્ધાંતરૂપી જજમેન્ટસ રજુ કરવામાં આવેલ અને જેકાંઈ બનાવ બનેલ તેમાં ફરીયાદીની પણ સંમતિ હતી તેવો બચાવ લેવામાં આવેલ.જે તમામ હકીકતો લક્ષમાં લઈ ધોરાજી સેશન્સ અદાલત દ્વારા કહેવાતા બનાવમાં ફરીયાદીની પુરેપુરી સંમતિ માની તેમજ ફરીયાદીની ફરીયાદ મુજબનો કોઈ ગુન્હો આરોપીએ કરેલ ના હોવાનું માની આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા સેશન્સ અદાલત ધોરાજી દ્વારા હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં આરોપી ડિકેશભાઈ ધનાભાઈ રેવર વતી એડવોકેટ ચંદુલાલ એસ.પટેલ તથા સંજયકુમાર પી.વાઢેર રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy