(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 18
ધ્રાંગધ્રા વોર્ડ નંબર 6માં આવેલા ઘાચીવાડ દેસાઈનો ડેલો, વિરાણીપા, મંદિર, નાની બજાર સહિત વિસ્તારોમાં થોડા સમયથી ખૂંટિયાનો ત્રાસ વધ્યો છે. ખૂંટિયારોડ વચ્ચે જમાવીને બેસી જાય છે. આ ઉપરાંત ત્યાંથી નીકળતા રાહતદારી અને લોકોની પાછળ દોડે છે. આથી ખૂંટિયાને પકડવામા આવે તેવી વિસ્તારના લોકોની માગ ઉઠી છે.
પાલિકાના સુધરાઈ સભ્ય ગાયત્રીબા રાણા દ્વારા નગરપાલિકાના પ્રમુખને આ ખૂંટિયાઓને પકડવા માટે જણાવવામાં આવ્યું હતું. પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે તાત્કાલિક સેનિટેશન વિભાગને સૂચના આપી આ ખૂંટીઓને પકડીને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy