મોરબીના ડો.હસ્તીબેન મહેતાનાં 141 માં એક દિવસીય કેમ્પનું આયોજન ચંદુલાલ ધરમસી શાહ હસ્તે ઉમેશભાઈ શાહના અનુદાનથી અહીંના સતવારા સમાજની વાડી, રાધે કૃષ્ણ મંદિર પાસે વાઘપરામાં કરવામાં આવ્યું હતુ.જેમાં 80 થી વધુ દર્દીઓનું વજન કરીને તપાસીને ત્રણ દિવસની દવા સાથે જરૂરિયાત અનુસાર સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવેલ.આ કેમ્પમાં જસુખભાઈ ભાલોડિયા દ્વારા સાંધા, ખભા, કમર, ઘૂંટણ જેવા વાના દર્દીઓને પોઇન્ટ દ્વારા વિશિષ્ટ પ્રકારની સારવાર આપીને રાહત આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ સોનગ્રા તેમજ આરતી રત્નાણી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.કેમ્પ સહાયક રશ્મિન દેસાઈ, ચંદ્રલેખા મેહતા, ઋચિતા પંડ્યા, જીગર ભટ્ટે વિગેરેએ સેવા આપેલ હતી.આ તકે દાતા ઉમેશભાઈ શાહએ બેંગલોરથી આવીને હાજરી આપી હતી.
(તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy