(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.19
વઢવાણ તાલુકાના અનેક ગામોમાં એસટી બસો જતી નથી. પરંતુ વર્ષોથી બસ સ્ટેન્ડો શોભાના ગાંઠિયાની જેમ બનાવેલા ઊભા છે. વઢવાણ તાલુકાના રાજપર ગામમાં એસટીના દર્શન દુર્લભ બન્યા છે.
ત્યારે વર્ષો જૂનું બનેલું એસટી બસ સ્ટેન્ડ જર્જરિત બની ગયું છે. રાજપર ગામ સુરેન્દ્રનગર એસટી ડેપોથી માત્ર અંદાજે 7થી 8 કિલોમીટર દૂર છે. પરંતુ અમારા ગામમાં એસટી બસોના દર્શન થતાં નથી.
બીજી તરફ ગામના પ્રવેશ દ્વાર પર જ વર્ષો પહેલાં બસ સ્ટેન્ડ બનાવાયું છે. હાલ આ બસ સ્ટેન્ડ બિસમાર બની ગયું છે. આથી ગમે ત્યારે આ બસ સ્ટેન્ડ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy