(હિતેશ ગોસાઈ) જસદણ, તા.25
રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા ગ્રુપના અને સેવાકીય અગ્રણી દુરૈયાબેન એસ મુસાણીએ આગામી લોકસભાની ચુંટણીમાં અચૂક મતદાન કરવા માટે બે હાથ જોડી અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં અમુક વિસ્તારોમાં જે મતદાન થવું જોઈએ તે થતું નથી લોકશાહી માટે મતદાન અતિ મહત્વનું છે મતદાન માટે કોઈ અડચણ આવે તો ચુંટણી અધિકારીઓ પોલીસ ખડેપગે હોય છે વધુમાં દુરૈયાબેનએ જણાવ્યું હતું કે લોકસભાની સામાન્ય ચૂંટણી-2024ની અન્વયે ચૂંટણીઓમાં મતદાન મથકે આવનારા મતદાતાઓ મતદાન માટે 12 પુરાવા પૈકી કોઈપણ ઓળખપત્રનો ઉપયોગ કરી શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy