રાજકોટ:તા 19
જય સરદાર યુવા ગ્રુપના નેજા હેઠળ બાપુનગર મુકતીધામનો સુચારૂ વહિવટ ચલાવે છે. કોરોના કાળના કપરા સમયમાં રાત-દિવસ જાગીને આશરે 5500 માનવદેહોને અગ્નિ સંસ્કાર કરીને આ યુવાનોએ માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડેલ છે. આ સેવા ભાવનાની નોંધ લઇને 80’ રોડ સ્થિત બાપુનગર સ્મશાનને વધુ સગવડતા મળી રહે એ હેતુસર રાજય સરકાર દ્વારા સ્વર્ણિમ વિકાસ યોજના હેઠળ ર કરોડ ના ખર્ચે નવીનીકરણ કરવા મા આવશે.
જેમાં મુકિતધામ પરિસરમાં આધુનિક વિશ્રાંતી રૂમ, ચાર બેડ સાથેનું અદ્યતન અગ્નિ સંસ્કાર હોલ, છાણા અને લાકડાના સ્ટોર માટે રૂમો, મૃત્યુદેહ સાચવવા માટે મોટા રૂમ તથા સ્મશાનયાત્રામાં જોડાનાર સ્વજનો માટે આરામ દાયક બેઠક વ્યવસ્થાનો સમાવેશ થશે.
દર વર્ષની માફક આ વર્ષે પણ સંસ્થા તરફથી 2023-24 ના વર્ષ દરમ્યાન સ્વધામે ગયેલ આત્માઓના મોક્ષ પ્રદાન માટે મૃતકના સ્વજનોને સાથે રાખીને તા.21-04-2024 ન ને રવિવાર નારોજ અસ્થિફુલનું પુજન કરાશે, અને વિર્સજન જય સરદાર યુવા ગ્રુપના યુવાનો અને જે કોઈ સ્વજનોને આવવું હોય તેઓને સાથે રાખીને હરિદ્વાર ખાતે હરકીપોરી ઉપર તા.03-05-2024 નારોજ સંપુર્ણ શાસ્ત્રોકત પધ્ધતિથી પુજા અર્ચન દ્વારા ગંગામાં વિર્સજીત કરવામાં આવનાર છે. 1400 અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા મેને.ટ્રસ્ટી રમેશભાઇ વેકરીયા, અશ્વીનભાઈ પાંભર, અતુલભાઈ પોકર, વીપુલભાઈ પાંભર, ચંદુભાઈ ઘેલાણી, સંજયભાઇ વઘાસીયા, હીરેનભાઈ ગૌસ્વામી જહેમત ઉઠાવી રહયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy