(ગની કુંભાર) ભચાઉ,તા.12
2મઝાન મહીનામાં પુરા મહીનામં રોઝા રાખ્યા બાદ ઈદનો ચાંદ નઝર આવતા મુસ્લિમ સમાજ દ્વારા હર્ષોઉલ્લાસ લાથે ઈદ નમાજ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. નેત્રા ઈદગાહ ખાતે મૌલાના સદ્દામ એ નમાજ તથા ખુતબો પઢાવેલ અને મૌલાના હાજી ગફુરે અખિલ કચ્છ સુની મુસ્લિમ હીતરકક્ષ સમિતિ દ્વારા આખા કચ્છ ચાલાવેલ વેશન મુક્ત અભ્યાન પર તકરીર કરી હતી ને વડીલો અને યુવા નો ને વ્યસન ન કરવા વિનંતી કરવા મા આવી હતી,રમજાન ના 10 દિવસ એતકાપમા બેઠેલા ગામા ના યુવાનો નો નેત્રા મુસ્લિમ સમાજ દ્વારા મુત્વલી અને પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું,
દેશમાં અમન- શાંતી-એકતા-ભાઈચારો રહે તેવી દુઆ ગુજારેલ કરવામાં આવી હતી. ઈદની ખુશીમા ગરીબો અને યતીમોની મદદ કરી લોકોને ઈદની ખુશીમાં સામેલ કરવાનું નામ ઈદ છે. આ પ્રસંગે મુસ્લિમ સમાજ ના તમામ આગેનાનો એ ઈદ નમાજ અદા કરી હતી અને તમામ બીરાદરોએ એક બીજાને ગલે મળી ઈદ મુબારક પાઠવી હતી.તેવું હારૂન ભાઈ કુંભારે જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy