જામનગર તા.24
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અકાળે મોતનો કિસ્સો સામે આવ્યો છે. કાલાવડના કૈલાશનગરમાં રહેતા વૃદ્ધને લોહીની ઉલટીઓ શરૂ થઈ હતી. ત્યારબાદ આ સમસ્યા જીવલેણ નિવડતા આધેડે હોસ્પિટલ બીછાને આખરી શ્વાસ ખેંચ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવવા અંગે પોલીસે મોતની નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અકાળે મોત મામલે કાલાવડ ટાઉન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર કાલાવડના કૈલાશ નગરમાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા રાજુભાઈ ગાંડુભાઈ મકવાણા છેલ્લા એકાદ વર્ષથી બીમારી અને લોહીની ઉલટીઓ સહિતની સમસ્યાથી પીડાતા હતા. જેમાં ગઈકાલે રાજુભાઈની તબિયત એકાએક બગડતા તેઓ બેભાન થઈ ગયા હતા જેને લઈને તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા આધેડનું મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર નિલેશ રાજુભાઈ મકવાણા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy