જુનાગઢ તા.23
ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી જેમાં ચાર અપક્ષોએ લોકસભાની ચૂંટણી લડવાનું માંડી વાળી ફોર્મ પરત ખેંચતા હવે 15માંથી અગીયાર ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં 4 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
જુનાગઢ લોકસભાની ચુંટણી લડવા માટે ભાજપ કોંગ્રેસ સહિત 17 વ્યકિતઓએ 26 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ચકાસણી દરમ્યાન ભાજપ કોંગ્રેસના બે ઉમેદવારના કુલ 4 ફોર્મ અમાન્ય રહ્યા હતા. બાકી 15 ઉમેદવારો પૈકીના 4 અપક્ષોએ ગઈકાલે ફોર્મ પરત લેવામાં આવેલ જેમાં હરેશ મનુભાઈ સરધારા, જેસીંગ શામજી રાઠોડ, ગનીભાઈ અબ્દેરેમા તવાણી, નારણ માંડા સોલંકીએ ફોર્મ ખેંચી લીધા હતા હવે 7મે 2024ના ચુંટણીનો જંગ ખેલાશે તેમાં ભાજપ, કોંગ્રેસ, બસપા, રાઈટ ટુ રિકોલ, લોગ પાર્ટી, બહુજન મુકિત પાર્ટી અને 5 અપક્ષ મળી કુલ 11 ઉમેદવારો દિલ્હી જવાની હોડમાં રહેવા પામ્યા છે. ભાજપમાં રાજેશ ચુડાસમા, કોંગીમાંથી હીરાભાઈ જોટવા, બસપામાંથી માકડીયા જયંતિલાલ, રાઈ ટુ રિકોલ ઈશ્ર્વરભાઈ સોલંકી, અલ્પેશ ત્રાંબડીયા, લોક પાટી વાઢેર દાનસીંગ બહુજન મુકિત પાર્ટી, અપક્ષોમાં સુમરા આરબ હાસમ, ભાવેશ બોરીસાગર, ડાકી નાથાભાઈ, દેવેન્દ્ર મોતીવારસ અને ગોરધનભાઈ ગોહેલનો સમાવેશ થાય છે.
માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 6 વ્યકિતઓએ 9 ઉમેદવારી પત્રક ભર્યા હતા. ચકાસણીમાં ભાજપ કોંગીના બે ફોર્મ રદ થયા હતા. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિને એક પણ ફોર્મ પરત ન ખેંચાતા ભાજપમાં અરવીંદ લાડાણી, કોંગીમાંથી હરીભાઈ કણસાગરા, અપક્ષમાંથી પરમાર મહેશ રામજીભાઈ અને સોલંકી ઉમેદ જેન્તીલાલ સહિત કુલ ચાર વચ્ચે ચુંટણી જંગ ખેલાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy