કેસર કેરીનાં ગઢ સોરઠમાં ‘સોનપરી’ની એન્ટ્રી

Gujarat, Saurashtra | Junagadh | 27 April, 2024 | 09:47 AM
ખરાબ હવામાનમાં વધુ ઝીંક ઝીલી શકતી સોનપરી કેરીના ઉત્પાદનનો વધતો ટ્રેન્ડ : ફળ મોટા ઉપરાંત સ્વાદમાં વધુ મીઠી તથા ભરાવદાર રહેતી હોવાનો દાવો
સાંજ સમાચાર

રાજકોટ,તા.27
માત્ર ગુજરાત કે ભારત જ નહિં વિશ્વના અનેક દેશોમાં નિકાસ પામતી વિખ્યાત કેસર કેરીનો ગઢ સોરઠ છે. પરંતુ તેને મોસમનો માર વધુ લાગતો હોવાથી હવે વલસાડી હાફુસની હાઈબ્રીડ સોનપરી કે તરફ ટ્રેન્ડ શરૂ થયો છે.

કેસર કેરીનાં જુનાગઢ તથા અમરેલી જીલ્લાના ઉત્પાદન મથકોમાં વારંવાર કમોસમી વરસાદ થતો હોવાથી અને કલાયમેટ ચેન્જની અસરે કેસર કેરીમાં નુકશાની વધુ થાય છે. આ સંજોગોમાં આંબા માલિકોએ હવે વલસાડી હાફુસની હાઈબ્રીડ જીન, સોનપરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ કેરીની સાઈઝ મોટી રહેવા ઉપરાંત વધુ મીઠી હોય છે. એટલુ જ નહિં ખરાબ હવામાનને પણ ઝીલી શકે છે.

નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા સોનપરી કેરીની જાત વિકસાવવામાં આવી છે.આવતા પાંચ વર્ષમાં જુનાગઢ-ગીર સોમનાથ તથા અમરેલી જીલ્લાનાં કેસર કેરીનાં બાગ ‘મોનપરી’માં ફેરવાવા લાગે તેવી શકયતા છે.

સોનપરી કેરીની લોકપ્રિયતા વધવા લાગી હોય તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સીટીએ પણ આ જાત પર હાથ અજમાવતા કેરી ઉત્પાદકો-આંબાના બાગ ધરાવતા માલિકોને સલાહ આપી હતી.

નવસારી કૃષિ યુનિવર્સીટી તથા ખાનગી નર્સરીમાં સોનાની કેરીની 40,000 કલમો ગત વર્ષે તૈયાર કરવામાં આવી હતી. આ વખતે ડીમાંડ વધુ રહેતા 1.50 લાખ કલમો તૈયાર કરવામાં આવી હતી.

જુનાગઢનાં જામવા ગીરના ખેડુત પરસોતમ સિંઘપરાએ કહ્યું કે, પોતે 1000 સોનપરી કેરીના આંબા વધ્યા છે. આવતા પાંચ વર્ષમાં કેસરને બદલે સોનપરીની ડીમાંડ વધવાની ગણતરી છે. હાફુસ કરતા પણ મોટુ કદ ઉપરાંત વધુ મીઠી અને સુગંધીત રહેવાની સાથોસાથ વધુ રસ ધરાવતી હોવાથી લોકોમાં મોર વધશે.

ગીર સોમનાથનાં ખેડુત ઉત્પાદક સંગઠનના ડાયરેકટર તુષાર ધામેલીયાએ કહ્યું કે સોનપરી કેરીની કલમોની ખેંચ છે મોટા પ્રમાણમાં ડીમાંડ હોવાથી કલમ મેળવવા ઈચ્છતા ખેડુતોનું વેઈટીંગ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ કેસર કેરીનું આયુષ્ય પણ વધુ હોવાથી નિકાસ માટે પણ આદર્શ રહે તેમ છે.

સાસણમાં કેરીની નર્સરી ધરાવતાં સુમીત સમસુદીને ક્હયું કે, છેલ્લા બે વર્ષથી કેરીની સોનપરી જાતની કલમની ડીમાંડ વધી રહી છે. જે આંબામાં ફળ આવતા બંધ થઈ ગયા છે તેની જગ્યાએ સોનપરીની કલમો જ લગાડવામાં આવી રહી છે.

જુનાગઢ કૃષિ યુનિ.ના હોર્ટી કલ્ચર વિભાગના વડા ડી.કે.વરૂએ કહ્યું કે કેસરની સાથોસાથ સોનપરીનું ઉત્પાદન કરવા ખેડૂતોને સુચવ્યુ છે. કેસરમાં કયારેય અચાનક રોગ ફેલાય તો વિકલ્પમાં સોનપરી સારો વિકલ્પ બની રહે તેમ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj