રાજકોટ, તા. 19
રૂપાલા સાથે ક્ષત્રિયોના વિવાદ બાદ ભારે ચર્ચાસ્પદ બનેલી રાજકોટ લોકસભા બેઠક ઉપર આજરોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા આશ્ર્ચર્યજનક રીતે એક પણ ફોર્મ નહીં ભરાતા ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલા ને મોટી રાહત થઇ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ લોકસભા બેઠક માટે ફોર્મ ઉપાડનાર ક્ષત્રિય સમાજે તેના 100થી વધુ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ ગઇકાલે ફોર્મ ઉપાડવાના અને રજુ કરવાનાં એક દિવસ રહ્યા બાદ ક્ષત્રિય સમાજે એક પણ ફોર્મ ભર્યુ ન હતું.
જયારે આજે ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે પણ ક્ષત્રિય સમાજે એક પણ ફોર્મ રજૂ કરેલ ન હતું. ત્યારે હવે ક્ષત્રિય સમાજ કોઇ નવી સ્ટ્રેટેજી અપનાવશે કે રણનીતિ બદલવામાં આવી છે તેવી અટકળો થવા લાગી છે.
ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આજરોજ સાંજે ફરી ક્ષત્રિય સમાજની સંકલન બેઠક મળનાર છે. જેમાં હવે શું રણનીતિ ઘડાશે તેના ઉપર મીટ મંડાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy