નવી દિલ્હી,તા.4
વાયુ પ્રદુષણના કારણે દેશના દસ શહેરોમાં દર વર્ષે 33 હજાર લોકોના મોત થાય છે. અનેક લોકો બીમાર પડતા હોય છે. દિલ્હીમાં આ મામલે સૌથી ખરાબ હાલત છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ચોખ્ખી હવાના ધોરણ, આંતરરાષ્ટ્રીય સ્તર પર ચોખ્ખી હવાના ધોરણોથી અગાઉથી જ વધુ છે.
પરંતુ અનેક શહેરોમાં નિશ્ચિત ધોરણોથી પણ અનેકગણુ પ્રદુષણ સમસ્યા બની ચૂકયું છે, જેને લઈને અનેક લોકો બીમારીના શિકાર થઈ રહ્યા છે. દેશમાં વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા છે પણ હવે તાજેતરના અધ્યયનમાં બહાર આવ્યું છે કે તેનાથી આપણા બધાનું ચિંતીત થવું સ્વાભાવિક છે.
ખરેખર તો અધ્યયનમાં દાવો કરાયો છે કે દેશના 10 શહેરોમાં દર વર્ષે 33 હજાર લોકોના વાયુ પ્રદુષણથી મોત થાય છે. આ અધ્યયન લાન્સેટ પ્લેનેટરી હેલ્થમાં છપાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy