IOB સાથે ઠગાઈ કેસમાં પૂર્વ સિનિયર મેનેજરને 7 વર્ષની કેદ : 15 કરોડનો દંડ

Gujarat, Crime | Ahmedabad | 19 April, 2024 | 10:08 AM
આરોપી મહિલા મેનેજર વિદેશ ભાગી ગઈ હતી, તેને પ્રત્યાર્પણ પ્રક્રિયાથી ભારત લવાઈ હતી
સાંજ સમાચાર

અમદાવાદ : શહેરના વસ્ત્રાપુરમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાથે વર્ષ 2002માં વિશ્ર્વાસઘાત, ઠગાઈ અને ભ્રષ્ટાચાર કેસમાં સ્પે. સીબીઆઈ કોર્ટે ભૂતપૂર્વ સિનિયર મેનેજર પ્રીતિબહેન સાહીજવાણીને સાત વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 15 કરોડનો આકરો દંડ ફટકાર્યો છે.

આ સાથે જ સીબીઆઈ સ્પેશિયલ જજે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી ભૂતપૂર્વ સિનિયર મેનેજર દ્વારા દંડની જે રકમ ભરપાઈ કરવામાં આવે તે પૈકી રૂપિયા 15 કરોડ ઈન્ડિયન ઓવરસીઝ બેંકને વળતર તરીકે ચૂકવી આપવાના રહેશે. નોંધનીય છે કે, આરોપી મેનેજર વિદેશ ભાગી ગઈ હતી, તેને પ્રત્યાર્પણ પ્રક્રિયાથી ભારત લવાઈ હતી.

વસ્ત્રાપુરની ઈન્ડિયન ઓવરસીઝ બેંકના પૂર્વ સિનિયર મેનેજર પ્રીતિબેન સાહીજવાણીએ વર્ષ 2000માં બેંકના ગ્રાહક દક્ષા અને નરેન્દ્ર પટેલની એફ.સી.એન.આર. ડિપોઝીટ્સની રકમો અલગ- અલગ તારીખે પ્રિમેચ્યોર વીથ ડ્રો કરી હતી. આરોપી બેંક મેનેજરે આ ડિપોઝિટ રિસીપ્ટસની રકમ દક્ષા કે નરેન્દ્ર પટેલને ચૂકવાની જગ્યાએ મીરા અને લાલ કુન્દનાણી નામની કાલ્પનિક વ્યકિતના ખાતા (ભૂતિયા ખાતા)માં જમા કરી તે રકમનો પોતે ઉપયોગ કર્યો હતો.

આ મામલે પૂર્વ સિનિયર મેનેજર પ્રીતિબહેન વિજયભાઈ સાહીજવાણી સામે કેસનોંધાયો હતો. ત્યારબાદ આ કેસ ચાલતા સ્પે. સીબીઆઈ કોર્ટમાં સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજ રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપી પ્રીતિબહેને બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ઈન્ડિયન ઓવરસીઝ બેંક, વસ્ત્રાપુર સાથે બહુ ગંભીર વિશ્વાસઘાત કર્યો છે. આરોપીએ બનાવટી-ચેડાં કરી કિંમતી જામીનગીરીના દસ્તાવેજો બનાવ્યા છે અને તે દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કર્યો છે.

આમ કરીને આરોપીએ બેંકના ભંડોળને બહું મોટું નુકસાન પહોંચાડ્યું છે. આરોપી દ્વારા કરવામાં આવેલા ગુનાહિત કૃત્ય અને ભ્રષ્ટાચારના કારણે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આરોપી 12 વર્ષ સુધી ફરાર રહ્યાં હતાં અને પછી પ્રત્યારોપણ કરી લવાયા છે. ત્યારે આખોય કેસ પુરવાર થતો હોવાથી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઈએ. આવી રજૂઆત બાદ કોર્ટે મહિલા આરોપીને સાત વર્ષ કેદ અને 15 કરોડનો દંડ ફટકાર્યો છે. 

આજની તારીખે મૂલ્ય 84 કરોડથી વધુ થાય: કોર્ટ
સીબીઆઇ સ્પેશિયલ કોર્ટે બહુ ગંભીર અવલોકનો કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2000માં સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે રૂપિયાનું મૂલ્ય અને આજની તારીખે રૂપિયાનું મૂલ્ય અને તે સમયની તથા આજની મોંઘવારી અને વ્યાજના દરને નજર સમક્ષ રાખીને આરોપીને દંડ કરવો ન્યાયોચિત લેખાશે.

સમગ્ર નાણાંકીય વ્યવહારની આજની તારીખની અંદાજિત મૂલ્ય 84 કરોડ કરતાં પણ વધારે થાય છે. આમ, આરોપીની આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ સજા અને દંડ કરવામાં આવે તો ન્યાયનો હેતુ સિદ્ધ થાય તેમ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj