જામનગર તા.7
જામનગર શહેરમાં એક તરફ મતદાન ચાલી રહયું હતું, જે દરમિયાન જામનગર મહાનગરપાલિકા દ્વારા જૂની આરટીઓ કચેરી પાસે ખોદકામ કરાઈ રહ્યું હતું. જે ખોદ કામ દરમિયાન પીજીવીસીએલના 11 કેવીના અંડર ગ્રાઉન્ડ કેબલને જેસીબી મશીન ઓપરેટરે ડેમેજ કરી દેતાં સમગ્ર બેડી ગેઇટ આસપાસના તમામ વિસ્તારમાં સવારે 10.30 વાગ્યાના અરસામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે ભાડે દોડધામ થઈ હતી.
આ ફીડર ના વિસ્તારમાં મતદાન મથકો પણ આવેલા હતા, અને ત્યાં વીજ પુરવઠો ખોરવાતાં મતદાનની પ્રક્રિયાઓ પણ થોડો સમય માટે અટકી હતી, અને દોડધામ કરવાનો વારો આવ્યો હતો.
પીજીવીસીએલ કચેરીના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે પંચેશ્વર ટાવર ફીડરમાંથી હાલ પૂરતો વિજ પુરવઠો ક્ધવર્ટ કરી ને બેડી ગેઇટ ફીડર ચાલુ કરી દેવાયો હતો. તેથી મતદાન સહિતની પ્રક્રિયાઓ પુન: શરૂ થઈ હતી.
જયારે આરટીઓ કચેરી પાસે ડેમેજ થઈ ગયેલા કેબલને ફરીથી જોડવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
જે પૂર્ણ થઈ ગયા પછી મોડેથી તેજ કેબલ માંથી પુન: વિજ પૂરવઠો શરૂ કરી દેવાશે, તેમ વીજ અધિકારી દ્વારા જણાવાયું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy