જામનગર તા.19
જામનગરમા આશાપુરા મિત્ર મંડળ મચ્છર નગર તેમજ ડોક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા દ્વારા આશાપુરાના મંદિર ખાતે આગામી તા. 21 એપ્રિલને રવિવારના રોજ નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે.
આ નેત્ર નિદાન કેમ્પમાં મોતિયા ઝામરનો નિદાન તથા 100 દર્દીઓના ચશ્માના નંબરની તપાસ કરી ચશ્મા વિનામૂલ્ય આપવામાં આવશે .ઉપરાંત આ કેમ્પમાં ઝામર અને પડદાના રોગ અને વેલ વગેરેનાઓપરેશન ડો. અમિત મહેતાને ત્યાં આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્ય કરી આપવામાં આવશે તેમજ મોતિયાના ઓપરેશન જીજી હોસ્પિટલમાં કરાવવામાં આવશે. આ કેમ્પમાં ડો.પુથ્વીરાજસિંહ જાડેજા અને જીજી હોસ્પિટલના ડોક્ટર સેવા આપશે .આ કેમ્પ તા. 21 એપ્રિલ રવિવાર સવારે 9:30 વાગે આશાપુરા મંદિર મચ્છર નગર ખાતે યોજવામાં આવેલ છે તેમ આશાપુરા મિત્ર મંડળના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમાર જરૂરિયાત મંદ દર્દીઓને લાભ લેવા અનુરોધ કર્યો છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy