મુંબઈ ,તા 5
17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીતીને પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું ભારતમાં ઐતિહાસિક સ્વાગત થયું. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં હરાવી દેશ માટે બીજો T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
આ પછી ટીમ ઈન્ડિયા ગઈકાલે સાંજે ભારત પરત ફરી હતી. આ વર્લ્ડ ચેમ્પિયન ટીમનું મુંબઈમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો સન્માન સમારોહ વાનખેડે સ્ટેડિયમમાં યોજાયો હતો જ્યાં BCCI એ ટીમને 125 કરોડ રૂપિયાની રકમ આપીને સન્માનિત કર્યા હતા.
મુંબઈમાં પરેડ દરમિયાન લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન ઘણા ચાહકો ઘાયલ પણ થયા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમની વિજય પરેડ જોવા માટે મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે એકઠા થયેલા કેટલાક લોકો ઘાયલ થયા હતા અને કેટલાકને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હતી.
એક પ્રત્યક્ષદર્શી રવિ સોલંકીએ કહ્યું, હું ઓફિસથી આવી રહ્યો હતો અને મને ખબર પડી કે ભારતીય ટીમ સાંજે 5 થી 6 વચ્ચે અહીં પહોંચશે, જે બન્યું નહીં. ભીડ ઉમટી પડી હતી. પોલીસ પરિસ્થિતિ સંભાળી શકી ન હતી. લોકો અચાનક બૂમો પાડવા લાગ્યા, જે પછી કેટલાક લોકો એકબીજા પર પડ્યા. તે ખૂબ જ અવ્યવસ્થિત હતું. વ્યવસ્થા કરવાવાળું કોઈ નહોતું. આ ઘટના રાત્રે 8:15 થી 8:45 વચ્ચે બની હતી. ઘણા લોકો બેહોશ થઈ ગયા હતા.
વિજય પરેડ દરમિયાન બેહોશ થઈ ગયેલા પીડિત ઋષભ મહેશ યાદવ જણાવે છે કે ભીડ વધી રહી હતી. હું પડી ગયો અને મને ગૂંગળામણ થઈ. હું બેભાન થઈ ગયો. મને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં મારી સારવાર કરવામાં આવી. હાલ મને સારું છે. ભીડ જરૂર કરતાં વધુ હતી. ગેરવહીવટ હતી. પોલીસ પણ સતર્ક ન હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy