જામનગર તા.6
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામના એક ખેડૂતે પોતાના પુત્રના આર્થિક વ્યવહારના ત્રાસને કારણે ઝેરી દવા પી લઇ બાદમાં ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો છે. પુત્ર પોતાના કહ્યામાં ન હોવાની વર્તમાનપત્રમાં પણ જાહેરાત આપી હોય, બાદમાં ગુમસુમ રહેતાં અને અંતે કંટાળી ખેડૂતે આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની જાણવા મળતી વધુ વિગત અનુસાર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામે રહેતાં અને ખેતી કામ કરતાં દિપકભાઇ સુભાષભાઇ માણાવદરિયા નામના 47 વર્ષના ખેડૂતે ગઇકાલે પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લીધા બાદ આંબના ઝાડમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃત્તકના નાનાભાઇ હિતેશભાઇ સુભાષભાઇ માણાવદરિયાએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવાયા અનુસાર મૃત્તક દિપદકભાઇનો દિકરો (પુત્ર) ચાંદ માણાવદરિયા (ઉ.વ.24) કે જે આર્થિક વ્યવહાર બાબતે પોતાના કહ્યાં ન હતો. આ બાબતે દિપકભાઇએ આજથી એકાદ વર્ષ પહેલાં અખબારમાં પણ જાહેરાતો પ્રસિધ્ધ કરાવી હતી. ત્યારબાદ તેઓ ગુમસુમ રહેતાં હતાં અને કંટાળી જઇ જંતુનાશક દવા બાદ ગળાફાંસા દ્વારા આ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે લાલપુર પોલીસ મથકના એએસઆઇ ડો.સી.ગોહિલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy