લખતરના મફતીયાપરામાં કૌટુંબિક ભાઇઓ વચ્ચે મારામારી : છરી-પાઇપથી હુમલો કર્યો

Local | Surendaranagar | 17 April, 2024 | 01:13 PM
યુવાનને માર મારી સોનાની વીંટી, રોકડની લૂંટ ચલાવી : ફરિયાદ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) 
વઢવાણ, તા. 17
લખતરના મફતીયાપરામાં રહેતા યુવાનનો ઢવાણીયા દાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. તેઓ તાજેતરમાં પાનના ગલ્લા પાસે ઉભા હતા. ત્યારે તેમના કૌટુંબીક ભાઈઓએ પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી છરી અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપી સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી.

લખતરના મફતીયાપરામાં રહેતા નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકીનો ઢવાણીયાદાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. ગત તા. 10મીએ રાત્રે તેઓને લરખડીયા માતાજીના મંદિરે માંડવામાં જવાનુ હોવાથી પાનના ગલ્લા પાસે મિત્રની રાહ જોતા હતા. આ સમયે તેમના કૌટુંબીક ભાઈઓ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી આવ્યા હતા અને નરેન્દ્રભાઈને અપશબ્દો કહેતા હતા. 

આ ઉપરાંત તારો ગલ્લો અહીંથી ઉપાડી લેજે, નહીંતર સળગાવી દઈશુ તેમ કહી ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી અને પાઈપ અને છરી વડે નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી સોનાની વીંટી અને રોકડા રૂ. 2500ની લૂંટ ચલાવી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી.  બનાવમાં 108 દ્વારા નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.

બનાવની મારામારી અને લૂંટની કલમો સાથે નરેન્દ્રભાઈએ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj