(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.24 અમરેલી શહેરમાં રખડતી ગૌ-માતાની સમસ્યા છેલ્લા ર0 વર્ષથી ચાલી રહી છે. સત્તાધારી પક્ષે ગૌ-માતાની સુરક્ષાનાં નામે મત મેળવી લીધા બાદ ગૌ-માતાને ભૂલી જવામાં આવી છે. હિન્દુ સમાજ માટે દેવી સમાન ગણાતી ગૌ-માતા અને તેના વાછરડા કે વાછરડીની પણ કોઈ સલામતી નથી, ગંદકી ફંફોળીને પેટ ભરતી, તડકો, વરસાદ અને ઠંડીનો સામનો કરતી અને અવારનવાર અકસ્માતનો ભોગ બનતી ગૌ-માતાને સલામત સ્થળે ખસેડવામાં શાસકો સદંતર નિષ્ફળ સાબિત થઈ રહૃાા છે. દુનિયાની સમસ્યા દૂર કરવાની ગુલબાંગો ફેંકતા સત્તાધારી પક્ષનાં આગેવાનો ગૌ-માતાની સમસ્યા દૂર કરવામાં ગેંગે ફેંફે થઈ રહૃાા છે. દરમિયાનમાં અમરેલીનાં બહુમાળી ભવનની સામે આવેલ ખુલ્લા કૂવામાં પડી જવાથી એક વાછરડીની જીંદગી જોખમમાં મુકાઈ હતી. એક દિવસ સુધી વાછરડી કૂવામાં ઝઝુમતી રહૃાા બાદ કોઈ વ્યકિતની નજર તેમના પર પડતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયર ટીમે વાછરડીને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢીને વાછરડીને બચાવીને સુંદર કાર્યકર્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy