(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.20
ધારીનાં આંબરડી સફારી પાર્ક નજીક આવેલ લીયોનીયા હોટેલના સંચાલકને વન અધિકારીએ ગંદકી ફેલાવવા અને નિયમ વિરૂઘ્ધની લાઈટો વિરૂઘ્ધ નોટીસ ફટકારી છે.
નોટીસમાં જણાવેલ છે કે ખીચા રીઝર્વ ફોરેસ્ટ પાયલોટ વિસ્તારમાં અમારી ફીલ્ડ વિઝીટ દરમીયાન આપની હોટેલનો આજુબાજુમાં વડીની બહારના ભાગે રીઝર્વ ફોરેસ્ટમાં પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટીક પડેલ/ નાખેલ હોવાનું ઘ્યાન ઉપર આવેલ છે. તેમજ તા. 14/4/2024ના રોજ અમારી રાત્રી પેટ્રોલીંગ દરમીયાન ઘ્યાન ઉપર આવેલ છે કે તમારી હોટલમાં ફોકસ/ મોટી લાઇટો નાખવામાં આવેલ છે જેમનો પ્રકાશ રાત્રીના સમયે જંગલ વિસ્તારમાં દુર સુધી પડે છે જે શરતનો ભંગ થાય છે .
તેમજ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટીક નાખી વન્યપ્રાણીના જીવન સાથે છેડછાડ કરવામાં આવેશે તે ગંભીર ગૂન્હો બને છે, વારંવાર તમોને જાણ કરવામાં આવે છે તેમ છતા તમો રીઝર્વ ફોરેસ્ટમાંપ્લાસ્ટીક તેમજ કચરો સળગાવો છો જે ભારતીય વન અધિનીયમ મુજબ ગુન્હો બનતો હોય આ ગુન્હા સબબ દિન 3 માં રિકવરી ભરી જવી તેમજ હવે પછી પ્લાસ્ટીક ઘ્યાન ઉપર આવશે તો કાયદેસરની કાર્યવાહી તમારા ઉપર કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ છે.
આપઘાત
સાવરકુંડલા ગામે રહેતા ભાવનાબેન પુનાભાઇ સોરીયા નામની 40 વર્ષિય પરિણીતાને ગત તા.13 ના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાના અરસામાં તેના પતિએ રસોઇ બનાવવા બાબતે કહેતા તેણીને સારૂ નહી લાગતા પોતે પોતાની મેળે ક્રાંકચ ગામે આવેલ ચોથાભાઇ કોળીના મકાન પાછળના વાડામાં પોતાના રહેણાક મકાનની પાછળ વાડામા જઇ ઝેરી દવા પી જતા અમરેલી સરકારી દવાખાને સારવારમાં દાખલ કરેલ હોય ભાવનાબેન પુનાભાઇ સોરીયા તા.18 ના રોજ સારવાર દરમ્યાન મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે આવેલ આંબેડકર નગરમાં રહેતા કિશોરભાઇ મનુભાઇ બાબરીયા નામનાં 31 વર્ષિય યુવક છેલ્લા ચાર વર્ષથી સેન્ટીંગનુ કામ કરતા હોય, અને હાલ તેઓ સેન્ટીંગનુ કામ કે કોઇકામ ધંધો મળતો ન હોય જેથી તેઓ આર્થિક રીતે ભાંગી ગયેલ હોય તેથી પોતે પોતાની મેળે ખાખબાઇ ગામે આવેલ પોતાની વાડીએ તા.18 ના સવારના આશરે આઠેક વાગ્યે કોઇ ઝેરી દવા પી જતા સારવારમા ખાનગી દવાખાને લાવતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy