રાજકોટ, તા.26
એરપોર્ટે પોલીસે નવાગામ બામણબોરમાંથી ચાર જુગારીઓને દબોચી લીધા હતા. મળતી વિગત મુજબ એરપોર્ટે પોલીસ મથકના કોન્સ્ટેબલ સુરેશભાઈ ગમારા, સારંગભાઈ ઓગાણીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન નવાગામ બામણબોર મેલડી માતાના મંદીર પાસે જાહેરમાં પત્તા ટિંચતા અમરશીભાઈ મનજીભાઇ સરવૈયા (ઉ.વ.50), વાલજીભાઈ જીવાભાઈ જેસાણી (ઉ.વ.66), હિતેષભાઈ ખોડાભાઈ બાવળીયા (ઉ.વ.33), રાજુભાઈ ખોડાભાઈ નાગાણી (ઉ.વ.27) (રહે- તમામ નવાગામ, બામણબો2 ગામ) ને પકડી પાડયા હતા. પોલીસે રોકડ રૂ.3900 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy