(મિલન મહેતા દ્વારા)
શાપર, તા.24
શાપર વેરાવળ પોલીસે વ્રજવાટીકા સોસાયટીમાંથી પત્તા ટિંચતા ચાર બાજીગરો પકડી પાડ્યાં હતાં. પોલીસે જુગારધારોનો ગુનો નોંધી 36 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બનાવની વિગત મુજબ શાપર વેરાવળ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન પીએસઆઈ આર.કે.ગોહિલને મળેલ બાતમીના આધારે દરોડો પાડી વ્રજવાટીકા સોસાયટીમાં જાહેરમાં પત્તા ટિંચતા શૈલેષભાઇ દીલીપભાઈ આદ્રોજા (રહે.શાપર વ્રજવાટીકા શેરી નં-2 તા.કોટડા સાંગાણી), કેતનભાઇ પ્રભાસભાઇ સોડીયા (રહે.રાજકોટ અંબીકા ટાઉનશીપ અક્ષર પ્રાઇમ સી.501), પરેશભાઇ પોપટભાઇ વેકરીયા (રહે.રાજકોટ 150 ફુટ રીંગ રોડ ફોર્ચુન હોટલ પાછળ સહજાનંદ નગર), ગંભીરસિંહ ગોવુભા સોલંકી (રહે.રાજકોટ નહેરૂ નગર 80 ફુટ રોડ પુરૂષાર્થ સોસાયટી શેરી નં-5) ને દબોચી લઈ મુદ્દામાલ રૂ.36,640 કબ્જે કર્યા હતાં.
આ કામગીરી શાપર પીએસઆઈ આર.કે.ગોહિલ, જી.બી.જાડેજા, હેડ.કોન્સટેબલ તુષારસિંહ જાડેજા, પ્રલાદસિંહ રાઠોડ, મહેન્દ્રભાઈ ધાધલ ,ઉપેન્દ્રસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, ખીમજીભાઈ હુણ, કોન્સ્ટેબલ લગધીરસિંહ જાડેજા, અલ્પેશભાઈ ડામસીયા દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy