(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 6
સુરેન્દ્રનગર શહેરમાં ગરમી એ હાહાકાર સર્જ્યો છે અને સરકાર દ્વારા પણ અનેક પ્રકારની ગાઈડ લાઈનો રજૂ કરવામાં આવી છે પરંતુ હાલમાં ઘરમાં પણ ન રહી શકાય તેટલી હદે ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જરાવનગર રતનપર વિસ્તારમાં એક જ સપ્તાહમાં ચાર વ્યક્તિઓને હૃદય રોગના હુમલામાં મોત નિપજયાનું સામે આવી રહ્યું છે વઢવાણ પાસે આવેલા કોઠારીયા રોડ ઉપર સીએનજી પમ્પ ઉપર પોતાની કાર કે જેનો નંબર છે જીજે 13mm 61 74 વાળી કારમાં યુવક સીએનજી પમ્પ ઉપર ગેસ પુરાવા માટે આવ્યો હતો.
ત્યારે લાઈનમાં કાર ઉભી હતી ત્યારે કારમાં જ હૃદય રોગનો હુમલો આવી જતા તેનું અને ત્યાં જ ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે જ્યારે યુવક કોણ છે અને તેના પરિવારને જાણકારી આપવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે ત્યારે 108 ને જાણકારી આપવામાં આવતા 108 ના ચાલકે આ યુવાનનું હુમલામાં કારમાં જ બેઠેલ હાલતમાં મોત નીપજ્યું હોવાનું જણાવવામાં આવ્યું.
ત્યારે સુરેન્દ્રનગર શહેરના જેલ ચોક વિસ્તારમાં રહેતા આરીફ ભાઈ જિંદાણીના પુત્રને પણ શનિવારના રોજ રાત્રિના સમયે હૃદય રોગનો હુમલો આવતા તે માત્ર 14 વર્ષની સગીરવઈ ની ઉંમરે તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે જ્યારે ચોરાનગર અને રતનપર વિસ્તારમાં પણ સપ્તાહમાં બે હૃદય રોગના હુમલામાં બે વ્યક્તિઓના મોત થયા આવવાનું જાણવા મળે છે આમ સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાની ગરમી એ પણ હાહાકાર મચાવ્યો છે અને જેના કારણે લોકોને હૃદય રોગના હુમલાનું રોગ બનવાનું શહેરમાં ચર્ચા રહ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy