રાજકોટ. તા.18
સોની બજારમાં આવેલ રૂડીમાં રાણીમાં મંદિરમાંથી ચાર દિવસ પહેલાં ચાંદીના 1.8 કિલોના છતરની ચોરી કરનાર મહેન્દ્ર કોળી સંત કબીર રોડ પર ચોરેલા છતર વેંચે તે પહેલાં જ થોરાળા પોલીસે પકડી પાડી રૂ.81 હજારના છતર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી.જાધવએ મીલકત સબંધી ગુનાઓ અટકાવવા આપેલ સુચનાથી થોરાળા પીઆઈ એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ.પરમાર, એમ.એસ.મહેશ્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ પ્રકાશ ખાંભરા, વિમલ પાણજા, કોન્સ્ટેબલ સંજય અલગોતરને એક શખ્સ ચોરી કરેલ યાંદીનો માલ ગાળવા સંત કબીર રોડ, ગોકુલ પાન વાળી શેરી બાજુ નિકળવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ વોચમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતાં શંકાસ્પદ થેલી વાળા શખ્સને અટકાવી નામ પૂછતાં મહેન્દ્ર રમેશ સનુરા (ઉ.વ.24),( રહે. છોટાલાલ વાઘજીના ડેલામાં, કેસરી પુલ પાસે) હોવાનું જણાવ્યું હતું.
તેની પાસે રહેલ થેલી જોતા તેમાં ચાંદી જેવી દેખાતી સફેદ ધાતુના અલગ અલગ નાના મોટા છતર જોવામાં આવેલ હતાં. જે બાબતે તેની આગવિ ઢબે પૂછપરછ કરતાં તેને ચાર દિવસ પહેલા સોની બજારમાં આવેલ રાણીમાં રુડીમાંના મંદિરમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.જેથી થોરાળા પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલ 1.8 કિલો ચાંદીના છતર રૂ.81 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તસ્કરની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તસ્કર રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy