(મિલાપ રૂપારેલ) અમરેલી, તા.16 શિક્ષણપ્રેમી પૂ. રતિદાદાએ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટનાં નેજા હેઠળ શિક્ષણ, સામાજિક સેવાનાં ક્ષેત્રે અનેરી સિઘ્ધિ હાંસ કરી છે અને તેમાં સોનામાં સુંગધ ઉભી કરતી એક ઘટના બની છે. ચલાલા ખાતે સંસ્કૃત શકિત ગુરૂકુળની મંજૂરી રાજયનાં શિક્ષણ વિભાગે આપતાં સમગ્ર જિલ્લાનાં સંસ્કૃત પ્રેમીઓમાં ખૂશીનો માહોલ છવાયો છે અને જિલ્લાનાં સંસ્કૃતનો અભ્યાસ કરવા માંગતા બાળકોને હવે અન્ય જિલ્લાની સંસ્કૃત શાળામાં જવાની મુશ્કેલી દૂર થશે. આ તકે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવેલ છે કે, સંસ્કતી શકિત ગુરૂકુળમાંધો. 6 માં દિકરા-દિકરીઓને નિ:શુલ્ક રહેવાની, જમવાની અને શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં જણાવેલ છે કે, નવું સત્ર આગામી જુન માસમાં શરૂ થઈ જશે અને પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને 30 એપ્રિલ સુધીમાં સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા અને મો.નં. 94ર77 43817 પર સંપર્ક કરવા જણાવાયું છે. અમરેલી જિલ્લાનાં બાળકો સંસ્કૃત શકિત ગુરૂકુળમાં દેવ સંસ્કૃતી વિશ્ર્વ વિદ્યાલય શાંતીકુંજ હરિદ્વારનાં અનુભવી અને સંકૃતનાં વિઘ્વાનો ઘ્વારા અભ્યાસ મેળવીને પ્રોફેસર પણ બની શકશે. આમ ચલાલાની ધરતી પર સંસ્કૃત વિદ્યાલયનો પ્રારંભ થયો હોય પૂ. રતિદાદાને રાજયભરનાં શિક્ષણ અને સંસ્કૃત પ્રેમીઓ શુભકામનાઓ પાઠવી રહૃાા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy