રાજકોટ,તા.25
સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 145થી વધુ ચેકડેમ રિપેરિંગ ઉંડા અને ઉચા કરવા તેમજ નવા બનાવેલ છે.જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં 11,111 ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સિહોર તાલુકાના પાલીતાણાની બાજુમાં ટોડી ગામમાં ધમપાલી વીપશ્યના ધ્યાન કેન્દ્ર છે તે કેન્દ્ર જેવા ઘણા વિપશ્યના સંચાલક રાજુભાઈ મહેતા જે હાલ રાજકોટના રહેવાસી (ભાભા હોટેલ) અને બોમ્બેના સાધક દાતા દુર્ગેશભાઈ શાહના આર્થિક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 11 ચેકડેમનું કાર્ય પૂર્ણ કર્યું.
જેમાં 4 ચેકડેમ નવા અને 7 ચેકડેમ રીપેરીંગ અને ઉંચા કરેલ છે.તેમજ ગયા વર્ષે ચેકડેમ બનાવેલ હતાં. હાલ તેને ઉંડા કરવાનું કામ ચાલુ છે. જેનાથી ખેડૂતોને ખેતીમાં શિયાળુ પાકમાં ખેત ઉત્પાદનમાં ખુબ મોટો આર્થિક ફાયદો થયો છે.
આ કર્યે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોર, ટોડી ગામના આગેવાનો ગોહિલ વેલુભા ભરતસિંહ ગામના સરપંત ભુપેન્દ્રસિંહ કિરીટભાઈ ઘણા ખેડૂતોનો સહયોગ રહ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy