જુનાગઢ, તા.17
ગીરનાર આરોહણ અવરોહણ પ્રતિયોગીતાના વિજેતા લાલા પરમારની મતદારોને તા. 7મી મેએ ઉત્સાહભેર મતદાન કરવા અપીલ કરી છે.
7 મે ના રોજ ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન થનાર છે. ત્યારે જિલ્લા ચૂટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
મતદાન જાગૃતિ માટે ગિરનાર આરોહણ અવરોહણ પ્રતિયોગીતામાં છેલ્લા છ વર્ષથી પ્રથમ ક્રમાંક મેળવનાર લાલા પરમાર દ્વારા લોકોને અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે. તા.7મી મેના રોજ હું પણ મતદાન કરીશ અને મતદાન માટે પવિત્ર ફરજ નિભાવીશ. આ સાથે લાલાએ લોકોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા અને મહત્તમ અપીલ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy