રાજકોટ, તા.24
શહેરમાં શાસ્ત્રીનગરમાં રહેતાં ગીરવંતભાઈ ડોડીયાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું. પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલ. જેનું લાગી આવતાં આ પગલુ ભર્યાનું તારણ પોલીસે જણાવ્યું હતું.
બનાવની વિગત અનુસાર ગીરવંતભાઈ હીરાભાઈ ડોડીયા (ઉ.વ.40 રહે- રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર) નામનાં યુવકે ઉંદર મારવાની દવા પી જીવન ટુંકાવ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું કે, મૃતકની તેની પત્ની સાથે ઝગડા થતા હતા. બાદ પતિ- પત્ની અલગ રહેતાં હતાં. મૃતક હાલ એકલવાયું જીવન જીવતા હતા. પતિ- પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલ જેનું લાગી આવતાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy