(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.15
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે સાત યાત્રાળુઓને કચડ્યા હતા. જેમાં ત્રણનાં ઘટના સ્થળે મોત થયાં છે. જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.ચારને ઈજા પહોંચી છે. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો. બનાવવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર- અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક પૂર ઝડપે આવી રહેલા વાહન ચાલકે યાત્રાળુઓના સંઘને અડફેટે લીધો હતો. સર્જાયેલા અકસ્માતમાં સાત યાત્રાળુઓને કચડી નાખતાં ત્રણ યાત્રાળુનાં ઘટના સ્થળે મોત થયાં છે. જ્યારે ચારને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો છે. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય બે યાત્રાળુઓ નાં મોત નિપજ્યું હતું. ની જાન થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં
1.વિજય ધીરુભાઈ ગઢવી, ઉ.વ.28 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા 2. ધીરુભાઈ ગઢવી, ઉ.વ.50 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા 3. પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ, ઉ.વ. 30 રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા નો સમાવેશ થાય છે.
દરમિયાન અકસ્માતમાં ઘાયલ વધુ એક વ્યક્તિએ દમ તોડ્યો હતો. સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બકાભાઈ પટેલ (ઉ.વ.60, રહે.વરસોલા, મહેમદાવાદ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જેના કારણે આ બનાવમાં મૃત્યું આંકડો વધીને 4 થયો છે.
.જ્યારે અકસ્માતમાં ઇજા પામેલાઓમાં બાબુભાઈ ડાભી ઉ.વ.40, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા અને ગુલાભાઈ રાઠોડ ઉ.વ.30, રહેવાસી, વરસોલા મેહમદાબાદ, ખેડા તથા એક અજાણ્યા વ્યક્તિ નો સમાવેશ થાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy