રાજકોટ, તા.22
ગોંડલમાં સતત 15 વર્ષથી ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવતીકાલ તા.23 ને મંગળવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે વિરાટ શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તદ્પરાંત શોભાયાત્રાના રૂટ પર વિવિધ સંસ્થાઓ અને મિત્ર મંડળ દ્વારા ઠંડા પીણાથી સ્વાગત કરાશે. આ સાથે 1200 જેટલા મોટર સાયકલ, કાર, ડી.જે., ઢોલ-નગારા સાથે વિશાળ શોભાયાત્રા નિકળશે. 4000 થી વધુ લોકો એકસાથે મહાપ્રસાદ લેશે. ગોંડલમાં હનુમાન જયંતિ પ્રસંગે સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 10 વિવિધ પ્લોટ્સ બનાવમાં આવશે. જેમાં રામને લગતા, મતદાન જાગૃતિને લગતા તથા પર્યાવરણની જાગૃતિને લગતા વિવિધ પ્લોટ્સ બનાવશે. પર્યાવરણની જાગૃતિને લગતા પ્લોટમાં ચકલીના માળા, પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે તેમજ બાઈક રેલીની સાથે સવારના 8 કલાકે શહેરના ગુંદલારોડ ફાટક પાસેથી પ્રસ્થાન કરી શહેરના બસસ્ટેન્ડ રોડ, જેલચોક, ચોરડી દરવાજા, નાની બજાર, આંબેડકર ચોકથી ત્રિકોશી હનુમાન મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. જ્યાં બપોરે 12 વાગ્યે મહાઆરતી અને સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,રમેશભાઈ ધડુક (સાંસદ, પોરબંદર), ગીતાબા જાડેજા(ધારાસભ્ય ગોંડલ), જયરાજસિંહ જાડેજા (પૂર્વ ધારાસભ્ય), જ્યોતીરાદિત્યસિંહ જાડેજા (અગ્રણી 73 વિધાનસભા), ભુપતભાઈ ડાભી (સ્થાપક, માંધાતા ગ્રુપ), મનીષભાઈ ચનીયાર (પ્રમુખ ગોંડલ નગરપાલિકા) સહિતના ભાજપ અગ્રણી તેમજ ગોંડલ રામજી મંદિરના મહંત જયરામદાસ બાપુ, ચંદુબાપુ, સીતારામ બાપુ, રાજુબાપુ, ડો. રવિદર્શનજી મહારાજ, અતુલ બાપુ, સરજુ સ્વામી, ચંદુબાપુ, શ્રી હરિ સ્વામી, ચંદુભાઈ પટેલ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વહિંદુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો ધર્મેન્દ્રભાઈ રાજાણી, હિરેનભાઈ ડાભી, પ્રતીકભાઈ રાઠોડ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી છે.’સાંજ સમાચાર’ની મુલાકાતે હિરેનભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી, મહેશભાઈ ગોહેલ, વિનોદભાઈ નાગાણી, હિતેશભાઈ શિંગાળા, સાગરભાઈ કાચા, મુકેશભાઈ ભાલાળા, મૌલિકભાઈ ચાવડા, રશ્મિનભાઈ અગ્રાવત, વિપુલભાઈ જાદવ, પરેશભાઈ ઢોલરીયા, રાજેશભાઈ પરમાર અને મયુરભાઈ આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy