સોમવારે માઁ આશાપુરા માતાના મઢ-કચ્છ ખાતે ભવ્ય હોમાદિક ક્રિયા ઉત્સવ ઉજવાશે: લાઈવ ટેલીકાસ્ટ

Local | Kutch | 13 April, 2024 | 10:37 AM
સોમવારે રાત્રે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી 12-30 કલાકે હવનમાં બીડુ હોમશે
સાંજ સમાચાર

રાજકોટ તા.13
 

ભારતીય સંસ્કૃતિમાં શકિત ઉપાસનાનું સ્થાન અલૌકિક, અનોખુ અને અજોડ છે. માતાના મઢમાં આશાપુરા શકિતપીઠ ખાતે આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. માં આશાપુરાનું 19મી સદીનું ભવ્ય તિર્થધામ છે. સૌરાષ્ટ્ર-ગુજરાત, મહારાષ્ટ્રમાંથી ભાવિકો પગપાળા, સાયકલ દ્વારા વિશાળ સંખ્યામાં માતાજીના ગુણગાન ગાતા માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા વિશ્ર્વાસ સાથે માઈ ભકતો દર્શન કરવા આવે છે.

 માં આશાપુરાનું મંદિર ઉપર બાવન ગજની વિશાળ ધજા છે. નિજ મંદિરમાં વિશાળ ઘંટ છે. મુખ્ય મંદિર 58 ફુટ લાંબુ અને 32 ફુટ પહોળો છે. માં આશાપુરાની વિશાળ કદની 6 ફુટની મૂર્તિ છે. માં આશાપુરા મઢ ખાતે હોમાદિક ક્રિયાનું અતિ ભારે મહત્વ છે. લાખોની સંખ્યામાં માંની માનેલ માનતા અને શ્રધ્ધા આસ્થા સાથે ભાવિકો દર્શન કરવા આવે છે.

 ચૈત્રી સુદ-7, તા.15ના સોમવાર, રાત્રીના 8-30 કલાકે રાજા બાવાશ્રી યોગેન્દ્રસિંહજીના અધ્યક્ષસ્થાને ગોર મહારાજશ્રી દેવકૃષ્ણ મુળશંકર જોષી હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. હોમાદિક ક્રિયા વિધિ સમયે દેવી દેવતાઓને વિશેષ પુજા અર્ચના દરેક દેવતાઓને આહવાન આપી ફળ, ફુલોની હોમાદિક ક્રિયા આહુતિ આપવામાં આવશે. આ સમયે ચંડીપાઠ, શ્ર્લોક, સંક્રાંતિપાઠ, માના ગરબા ગવાશે. આ સમયે વાતાવરણ ભકિતમય બની જાય છે. મધ્યરાત્રીએ રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી રાત્રીના 12-30 કલાકે ઉગતી આઠમે હવનમાં બીડુ હોમશે.

સમગ્ર વાતાવરણ માં આશાપુરાના નાદ સાથે ગુંજી ઉઠશે. ભૂવા તરીકે ગજુભા ચૌહાણ સેવા આપે છે. માં આશાપુરા ધામમાં નિજ મંદિરની અંદર જ હનુમાનજી, ગણેશજી, શંકર-પાર્વતી, ચાચરા ભવાની, ખેતરપાળ દાદા તેમજ બાજુમાં હિંગળાજ માનું ભવ્ય મંદિર આવેલ છે. આરતીનો સમય સવારના 55 વાગ્યે મંગળા આરતી, સવારે 9 કલાકે ધૂપ આરતી સાંજની સુર્યાસ્ત સમય મુજબ કરવામાં આવે છે.

ભાવિકોને વિનામૂલ્યે જમવા તથા રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે છે.  માં આશાપુરાનાં ભકતાહેને લાઈવ દર્શન તથા હોમાદિક ક્રિયા વિધિના દર્શન કરવા માટે વેબસાઈટ દ્વારા આપ નિહાળી શકાશે. માતાના મઢ ટ્રસ્ટીગણ સેવકો નવરાત્રી દરમ્યાન દિવસ રાત સેવા આપે છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટીઓ ખેગરાજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, તથા સેવકગણ ખંતપૂર્વક સેવા આપે છે. માતાના મઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાર્થીઓને સુચના હિંદુ ધર્મ રીવાજ વસ્ત્ર પરિધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થ નિષેધ છે. સ્વચ્છતા જાળવવા સાથ સહકાર આપવા દરેક ભાવિકોને વિનંતી. માતાજીના પરમ ભકત મયુરસિંહ જાડેજા ખંત પૂર્વક સેવા ચાકરી કરે છે તેમ વિનોદ પોપટે જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj