જુનાગઢ, તા. 18
જુનાગઢમાં પરંપરાગત રીતે રામ જન્મ દિને એક જ શોભાયાત્રા નીકળે છે. પરંતુ આ વખતે બે પાલખી યાત્રા ગઇકાલે સવારે ઝાંઝરડા રોડ અને બપોર બાદ પરંપરાગત રીતે નીકળતી ઉપરકોટ રોડ પર 7પ0 વર્ષ જુના શ્રી રામના મંદિરેથી નીકળી હતી.
હરિ ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામલલ્લા મર્યાદા પુરૂષોતમના પ્રાગટય મહોત્સવનું મોટી હવેલીના બાવા શ્રી વૈષ્ણવાચાર્ય પિયુષ બાવાએ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. અનેક સાધુ-સંતો-મહંતો નગર શ્રેષ્ઠીઓ, નગરજનો જોડાયા હતા. શોભાયાત્રામાં પ3 ફલોટસ શ્રીરામ સહિત ગ્રંથને અનુરૂપ બનાવાયા હતા. આ વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ 7મી મેના મતદાન કરવાનો સંદેશ અપાયો હતો. દોઢ કિ.મી. લાંબી શોભાયાત્રા મોડી રાત સુધી શહેરીજનોએ દર્શન કર્યા હતા. 1પ7 સુરક્ષા કર્મીઓ, બીએસએફ ટીમ, બે ડ્રોનની બાજનજર રહેવા પામી હતી. 1ર લાખનો સોનાનો મુગટ શ્રી રામલલ્લાને માથે પહેરાવવામાં પ્રથમ વખત આવ્યો હતો. ચાંદીની પાલખીમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન કરવામાં આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy