રાજકોટ તા.17
સાધના મનીષી, પ્રભાવી જૈનાચાર્ય શ્રી અજિતયશ સૂરીધરજી મહારાજા તથા પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય શ્રી સંસ્કારયશસૂરીધરજી મ.સા. આદિ વિશાળ શ્રમણ તથા પ્રવચન પ્રભાવિકા સા.વર્યા શ્રી વિરતિમાલાશ્રીજી આદી શ્રમણી ભગવંતોનો તા.14 એપ્રિલના મણીયાર સંઘમાં ભવ્ય પ્રવેશ થયો ત્યારે સકલ સંઘોએ પૂજયશ્રીને અંતરના હર્ષનાદથી વધાવ્યા હતા.
પૂજય આચાર્યશ્રીના આગમ પ્રસંગને જૈનોએ પર્યુષણ પર્વના આગમન સમાન ગણાવ્યો હતો. આચાર્યશ્રીની પ્રભાવક, પ્રેરક જીવન પરિવર્તક વાણીનો લાભ લેવા જૈન અગ્રણીઓએ પણ પ્રતિદિન આપવાનો સંકલ્પ કર્યો હતો.
જીવનને સ્પીરીચ્યુલ ઉંચાઈથી લઈને પ્રેકિટકલ સચ્ચાઈ સુધીની સોલીડ પ્રેરણાઓના ધોધ એટલે પૂજયશ્રીનું પ્રવચનધારા છે. પોતાના સંયમ સુવર્ણ વર્ષમાં દીક્ષા જીવનના 50/50 વર્ષે સૌ પ્રથમવાર જ રાજકોટમાં પદાર્પણ કરનારા જૈનાચાર્યશ્રી અજિતયશસૂરીધરજી, સાધના, માર્મિકતા, ભકિત, અને પ્રભાવક પ્રેરણા સૌ પુણ્યવાનો માટે આનંદદાયક બની ગઈ છે. મણિયાર સંઘમાં પ્રતિદિન સવારે 7થી 8-15ના પ્રવચનો તથા બહેનોમાં 10-15થી 11-15ના પ્રવચનો તથા સાંજની સંધ્યા ભકિતમાં સૌને લાભ લેવાનો સમસ્ત મણીયાર સંઘનો રાજકોટની જૈન જનતાને હાર્દિક અનુરોધ છે.
પૂજયશ્રીની નિશ્રામાં ભાવિકો ચૈત્ર માસની શાશ્ર્વતી આયંબીલ ઓળીની આરાધના કરી રહ્યા છે અને પૂજયશ્રીના આધ્યાત્મિક પ્રવચનોનો લાભ લઈ રહ્યા છે તેમ અરૂણભાઈ દોશી, જીતુભાઈ મારવાડીએ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy