જામનગર તા.20
છોટીકાશીનું બીરૂદ ધરાવતા જામનગરમાં શ્રી રામભક્ત હનુમાનજીની જન્મોત્સવની ઉજવણી શ્રી ચૈતન્ય હનુમાનજીના મંદિર ખાતે તા.23-4 અને મંગળવારના રોજ કરવામાં આવશે.
શ્રી ચેતન્ય હનુમાનજીના મંદિર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ તા. 23-4-2024 ને મંગળવારના દિવસે હનુમાન જન્મોત્સવની ની ઉજવણી રાખેલ છે તે નિમિત્તે ધાર્મિક વિવિધ કાર્યક્રમોનો પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે પાંચ વાગ્યે મંગળા આરતી, સવારે 9:30 વાગ્યે ધજાઆરોહણ, 10:30 વાગ્યે રુદ્રાભિષેક, સાંજે 5:00 વાગ્યે શ્રી રામ કીર્તન અને સાડા પાંચ વાગ્યે બટુક ભોજન સાથે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પણ પ્રસાદ આપવામાં આવશે.આ ઉપરાંત હનુમાનજીના જન્મ મહોત્સવ પ્રસંગે પ્રસાદ સાંજે 7:00 થી 11:00 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે તો આ હનુમાન જન્મોત્સવના વિવિધ ધાર્મિકકાર્યક્રમોમાં જોડાવા શ્રી ચેતન્ય હનુમાનજી મંદિર ખંભાળિયા નાકા બહાર આર્ય સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy