(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.24 પ્રતિવર્ષ હનુમાન જયંતીના પાવન પર્વના અવસરે યોજાતો હનુમંત મહોત્સવ ચાલુ વર્ષે 47 માં મણકા સુધી પહોંચ્યો હતો. ચાલુ વર્ષે આ આ મહોત્સવ ચિત્રકૂટ ધામ તલગાજરડા ખાતે તારીખ 21 થી પ્રારંભ થઈને તારીખ 23 એપ્રિલના ચૈત્ર સુદ પૂનમના દિવસે પુ. મોરારિબાપુની પાવન સંન્નીધિથી અને તેઓના આશીર્વાદથી સંપન્ન થયો. આ મહોત્સવમાં 21 તારીખના રોજ રાજેન્દ્ર પ્રસન્નાનું શાસ્ત્રીય બાંસુરીવાદન અને પડિત વિજય ઘાટેનું શાસ્ત્રીય તબલા વાદન પ્રસ્તુત થયું. તારીખ 22 ના રોજ સુશ્રી પદ્મા તલવારકરનું શાસ્ત્રીય ગાયન રજૂ થયું. 23 મીના હનુમાન જયંતીના પવિત્ર અવસરે ચિત્રકૂટ ધામમાં સવારે 8-00થી 9-00 સુધી સુંદરકાંડનો પાઠ થયો. ત્યારબાદ દેશભરના વિવિધ કલાના સાધકોને બિરદાવતો એવોર્ડ સમારોહ પુ મોરારિબાપુના શુદ્ધ વરદ હસ્તે સંપન્ન થયો. પુ.મોરારિબાપુએ આ અવસરે જણાવ્યું કે મારા માટે પાંચ દિવસો ખૂબ મહત્વના છે. જેમાં શિવરાત્રી, રામ નવમી, હનુમાન જયંતી જન્માષ્ટમી અને ગુરુપૂર્ણિમાનો સમાવેશ થાય છે. હનુમાનજી મહારાજની સાથે ચાર અંક વધુ જોડાયેલો છે. જેમાં આપણે ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ,કામ, મોક્ષને ગણી શકીએ. ચાર કર્મો ને પણ તેમાં સમાવિષ્ટ કરી શકીએ. હનુમાનજી મહારાજ એ સ્વયં શંકરના રુદ્ર અવતાર છે. તેથી તેનું સતયુગ,ત્રેતા યુગ, દ્વાપરયુગ અને કલયુગમાં પણ અલગ અલગ રીતે મહત્વ છે. કલયુગમાં હનુમાનજીની હાજરી કથામાં હોય છે. હનુમાનજી મહારાજ સકલ કલા ગુણધામ છે. તેથી અમોને આ બધાં જ કલા સાધકોની સાધનાને વંદન કરવાનો અવસર આજના દિવસે પ્રાપ્ત થાય છે એ આપણા માટે સૌ માટે આનંદની વાત હોય છ. આપ સૌ માટે પુન: તે વાતનો રાજીપો વ્યક્ત કરું છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy