રાજકોટ તા.3
સંસદમાં રાહુલ ગાંધીએ ‘હિન્દુ-હિંસક’ના ઉચ્ચારેલા વિધાનો સામે રાજકોટમાં હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી ત્રિકોણબાગ ખાતે સુત્રોચ્ચાર કરી રાહુલ ગાંધીના પોસ્ટરો સળગાવ્યા હતા.
ત્રિકોણબાગ ખાતે રાહુલ ગાંધીના ઉચ્ચારણો સામે યોજેલ વિરોધ પ્રદર્શનમાં હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને સદસ્યોએ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને આ મામલે રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગણી ઉઠાવી હતી.
આ અંગે હિન્દુ સંગઠનોના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે કોંગ્રેસના રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ સમાજ વિરોધી હિન્દુ હિંસકના ઉચ્ચારણો કર્યા છે. તો શું અમે હત્યારા છીએ? તેમ જણાવી ઉમેયુર્ં હતું કે રાહુલ ગાંધી તેમના આ ઉચ્ચારણો સામે હિન્દુ સમાજની માફી માંગે. તેઓએ જણાવ્યું હતું કે તેઓને કોંગ્રેસ કે ભાજપ સામે વિરોધ નથી પણ રાહુલ ગાંધીના આ ઉચ્ચારણો સામે વિરોધ છે. હિન્દુ સમાજ વિરોધી આ ઉચ્ચારણો કરવા બદલ રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવા માંગણી ઉઠાવી જણાવ્યું હતું. રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવામાં આવે તો અન્ય કોઈ પાર્ટીના નેતાઓ આવા ઉચ્ચારણો કરવાની હિંમત કરી ન શકે.
રાહુલ ગાંધીએ હિન્દુઓ પાસેથી મતો મેળવ્યા બાદ વધુ સીટો કોંગ્રેસને મળતા તેઓને અભિમાન આવી ગયું છે. ગાંધી સામે કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોના પ્રતિનિધિએ માંગણી ઉઠાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy