રાજકોટ, તા.8
રાજકોટમાં મોરબી રોડ પર જકાતાનાકાની સામે આવેલ જય જવાન જય કિશાન સોસાયટી મેઇન રોડ ઉપર રઘુવંશી ક્લિનિકના નામે કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતા બોગસ ડોકટરને અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ બનાવની વિગત એવી છે કે, તા. 25-05-2021ના રોજ એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, જય જવાન જય કિશાન સોસાયટી મેઇન રોડ ઉપર મુન્નાભાઈ સિંધવની દુકાનમાં હિરેન મહેશભાઈ કાનાબાર નામનો માણસ કોઇપણ જાતની ડિગ્રી વગર બોગસ રીતે કલીનીક ખોલી દર્દીઓની સારવાર કરી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરે છે.
રેડ કરતા આરોપી હિરેન કાનાબાર ડોકટરનુ રૂપ ધારણ કરી દર્દીઓની સારવાર કરતો આરોપી પકડાતા તેની ધરપકડ કરેલ હતી. આરોપી સામે ચાર્જશીટ કરેલ. જે અંગેનો કેસ કોર્ટેમાં ચાલતા આરોપીના એડવોકેટે કરેલી દલીલ અને રજૂ રાખેલ ચુકાદા કોર્ટે ધ્યાને લઇ આરોપીને નિર્દોષ ઠરાવતો હુકમ કરેલ હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ રધુવીર આર. બસીયા તેમજ મહેન્દ્ર આર. ભાલુ રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy