બગસરાના નટવરનગરમાં દૂષિત પાણીનાં વિતરણથી ઘરે-ઘરે ચિકનગુનિયાનાં કેસ

Local | Amreli | 06 May, 2024 | 12:04 PM
અશુદ્ધ પાણી વિતરણથી હજૂ રોગચાળો વકરે તેવી દહેશત
સાંજ સમાચાર

(સમીર વિરાણી) બગસરા, તા.6
વિગત અનુસાર બગસરા માં પાલિકા દ્વારા દૂષિત પાણી ના વિતરણ થતાં લોકો પરેશાન થઈ ગયા છે  જ્યારે હાલમાં બગસરામાં નટવર નગર વિસ્તારમાં ચિકનગુનિયા જેવા રોગો ના ઘરે ઘરે ભરડો લીધો છે ત્યારે પાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહેલ છે હાલમાં પાલિકા દ્વારા જેતપુર રોડ પર ના આવેલ વિસ્તાર માં દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા છે જ્યારે હાલમાં બગસરા માં તાવ સરદી ના અઢળક કેશો આવી રહ્યા છે ત્યારે એક જાગૃત દ્વારા પાણી વિતરક ને ફરિયાદ કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હાલમાં દૂષિત પાણી જ આવશે તેવા ઉડાવ અને અપમાન જનક જવાબ આપતા આ વિસ્તાર ના લોકો રોષે ભરાયા છે.

આ બાબતે પાલિકા પ્રમુખ  ને પૂછતા તેમણે જણાવ્યું કે આ બાબત ની ફરીયાદ અમોને મળતા અમોએ તેના ઉપર કાર્યવાહી કરી ક્લોરિન ની માત્રા વધારી દેવામાં આવી છે પરતું હાલમાં ડેમ નું પાણી વિતરણ કરવામાં આવે છે તે માટે થોડું દૂષિત આવે છે જ્યારે આ બાબતે લોકો માં રોષ જોવા મળી રહ્યો છે કે આવું દૂષિત પાણી પીવું કેવી રીતે અને લોકો ને મદદ કરવા ને બદલે રોગચાળા ને પાલિકા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. 

જ્યારે બગસરા માં રોગચાળા ના વધતા જતા કેશો ના લીધે જન જીવન પર માઠી અસરો જોવા મળી રહી છે ત્યારે શું પાલિકા દ્વારા લોકો જીવન સાથે ચેડા કરી રહી છે કે પછી આઘોર તંત્ર દ્વારા આવા દૂષિત પાણી પીવડાવીને લોકો ને બીમારી તરફ ધકેલાઈ રહ્યું છે આવા અનેક પ્રકારના સવાલો લોકો દ્વારા ઉઠી રહેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj