જામખંભાળિયા,તા.26
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણી ભરાવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહીત રોગચાળો ફેલાવાની સંભાવના રહેલી હોય છે ત્યારે આવા સાયે જિલ્લામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેની તકેદારીના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોમાસા પૂર્વ તેમજ તે સમય દરમિયાન અને પછીના સમયમા પણ જિલ્લામાં રોગચાળો ન ફેલાય તેવા ઉદેશ્યથી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આ રોગચાળાના નિયંત્રણ માટે તા. 22 થી 30 એપ્રિલ સુધી જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે તા. 25 ના રોજ વલ્ર્ડ મેલેરીયા ડે ની વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2024 માટે નક્કી કરવામાં આવેલ થીમ"Accelerating the fight against Malaria for a more equitable world (વધુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઇને વધુ વેગ આપીએ)" મુજબ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હાઉસ ટુ હાઉસ કામગીરી માટે આરોગ્ય વિભાગની 289 ટીમો જોડાઈ છે, જેમના દ્વારા દ્વારા નવ દિવસમાં અંદાજીત 1.5 લાખ ઘરોની મુલાકાત કરી પોરાનાશક કામગીરી કરવામાં આવશે. સર્વેના પ્રથમ બે દિવસોના અંતે આ ટીમો દ્વારા 29,655 ઘરોની તપાસ દરમિયાન કુલ 1,51,702 પાત્રોની તપાસ કરવામાં આવેલી હતી, જે પૈકી 535 પાત્રોમાં મચ્છરોના પોરા જોવા મળેલા હતા. જે દરેક પાત્રોમાં જંતુનાશક દવા દ્વારા પોરાનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કુલ 991 તાવના કેસ શોધવામાં આવ્યા હતા. જે તમામ કેસના સેમ્પલ લઇ, ટેસ્ટિંગ અર્થે મોકલવામાં આવ્યા હતા.
સળંગ 9 દિવસ ચાલનારી આ કામગીરીમાં આરોગ્યની ટીમો દ્વારા વાહકજન્ય રોગોના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવશે, મકાનોમાં પાણી ભરાતું હોય તેવી જગ્યા પર દવાનો છંટકાવ કરાશે, ઉપરાંત મચ્છરના બ્રીડિંગ મળે તેવા પાત્રોમાં પોરાનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવશે તેમજ મેલેરિયા કે ડેન્ગ્યુના કેસ જોવા મળે તેવા વિસ્તાર, ગામ કે ઘરમા ફોગીંગ થકી પણ દવા છંટકાવ કરવામાં આવશે. (ફોટો:- કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy