રાજકોટ, તા. 3
મનપા આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઔષધાલય અને આયુષ્યમાન આરોગ્ય મંદિર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કાર્યરત છે. ગઇકાલે કમિશ્નરે દેવાંગ દેસાઇએ લલુડી વોંકળા ખાતે આવેલ પંડિત દીનદયાળ ઔષધાલય, ગુંદાવાડી ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર અને ગોવર્ધન ચોક, મવડી ચોક પાસે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત કરી હતી અને દર્દી સાથે પરામર્શ કરી સેન્ટર ખાતે આપવામાં આવતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.
મેડીકલ સેવા અને સારવાર કેવા છે તે અંગે વિસ્તારના લોકો અને દર્દીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો.આરોગ્ય સેન્ટર દ્વારા આપવામાં આવતી આરોગ્ય સુવિધાઓ, રોગચાળા વિશે માહિતી મેળવી કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું. વિવિધ વિસ્તારમાં કાર્યરત પંડિત દીનદયાળ ઔષધાલયનો સમય સાંજના 5 થી 9 સુધીનો છે તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર)નો સમય સવારે 9 થી 1 અને સાંજના 5 થી 9 સુધીનો છે તો જરૂરિયાતમંદ નાગરિકો નજીકના આરોગ્ય સેન્ટર ખાતે સંપર્ક કરી સેવાનો લાભ લઈ શકે છે. હાલ શહેરમાં 49 પંડિત દીનદયાળ ઔષધાલય અને 46 આયુષ્યમાન આરોગ્ય મંદિર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) કાર્યરત છે. આ વિઝીટમાં ડે. સ્વપ્નિલ ખરે અને મેડીકલ ઓફિસર ડો.જયેશ વકાણી હાજર રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy