ભાવનગર,તા.26
ભાવનગર જિલ્લાના સોનગઢ ગામે ગઈકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર -ધંધા બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો .જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપતા આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સોનગઢ ગામ ખાતે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરસોતમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
ક્ષત્રિય સમાજના લોકોને અન્ય સમાજના લોકોએ સમર્થન આપ્યું હતું અને વેપાર -ધંધા બંધ રાખવામાં આવ્યા હતા .સોનગઢ ગામ બંધ રહ્યું હતું અને રૂપાલા ના વિરોધમાં સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ગામેગામ ધર્મ રસ કાઢી ભાજપનો વિરોધ કરવા ચીમકી આપવામાં આવી છે .
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy