રાજુલા તા.4
જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી મુકામે રહેતી પરિણીતાએ વર્ષ 2017 માં લગ્ન જીવનથી કંટાળી ઝેરી દવા પીય ને આપઘાત કરી લીધો હતો, મરણજનાર ને માનસિક અને શારીરિક દુ:ખ ત્રાસ આપી મરવા મજબૂર કરનાર આરોપી પતિ તથા સાસુ વિરુદ્ધ મરણજનાર નાં પિતા દ્વારા નાગેશ્રી પોલીસ સ્ટેશન માં આઈપીસી એક્ટ કલમ 306, 498(એ), 114 મુજબ ફરિયાદ કરવા માં આવેલ હતી.
જેમાં પોલીસ દ્વારા આરોપી પતિ ભરતભાઈ પ્રેમજીભાઈ પરમાર તથા મરણજનાર નાં સાસુ સમજુબેન પ્રેમજીભાઈ પરમાર ની ધડપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવેલ પોલીસ તપાસ બાદ તપાસ કરનાર અમલદારે આરોપી સામે રાજુલા સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને આરોપી સામે ચાર્જ ફ્રેમ થતાં આરોપી સામેનો કેસ ચાલવા પર આવતા ફરીયાદપક્ષે સાહેદો, મેડીકલ ઓફીસર તથા પોલીસ અમલદારને સરકાર પક્ષે કોર્ટમાં તપાસવામાં આવેલ સાહેદો ની આરોપી તરફે વકીલ ભાવેશભાઈ આર. સિંધવ (ભરવાડ) તથા એ.બી. શિયાળ દ્વારા ઉલટ તપાસ કરવામાં આવેલ અને પુરાવો પુરો થયા બાદ ફરીયાદી તથા આરોપી તરફે દલીલો થયેલ આરોપી તરફે દલીલને માન્ય રાખી કોર્ટે આરોપીને છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમાં આરોપી તરફે ભાવેશભાઈ આર. સિંધવ (ભરવાડ), વકીલ તરીકે રોકાયા હતા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy