મુંબઇ, તા.4
ICC ની આગામી ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનની યજમાનીમાં રમાનાર છે. જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે, ભારતીય ટીમ આ ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં. પરંતુ પાકિસ્તાન આ ટુર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે પણ મેચ રમાનાર છે. આ મેચ ક્યારે અને ક્યાં રમાશે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારત-પાકિસ્તાન મેચની તારીખ 1 માર્ચ 2025 નક્કી કરી છે. આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ આ અપડેટ આપ્યાં છે કે, ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે આ મેચ લાહોરમાં રમાશે. પરંતુ બીસીસીઆઈએ હજુ સુધી અસ્થાયી કાર્યક્રમ પર પોતાની સહમતિ આપી નથી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે અને 10 માર્ચે રિઝર્વ ડે રાખવામાં આવશે. રિપોર્ટ અનુસાર, ભારતને ગ્રુપ Aમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ છે.
ICC બોર્ડના એક સભ્યએ જણાવ્યું કે, પીસીબીએ 15 મેચોની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ જમા કરાવી દીધો છે. લાહોરમાં 7, કરાંચીમાં 3 અને રાવલપિંડીમાં 5 મેચ રમાનાર છે.
પરંતુ સુરક્ષા અને તાર્કિક કારણોસર ભારતની તમામ મેચો લાહોરમાં રાખવામાં આવી છે. જ્યારે ઉદ્ઘાટન મેચ કરાંચીમાં થશે. બે સેમિફાઇનલ કરાંચી અને રાવલપિંડીમાં હશે. ફાઇનલ લાહોરમાં રમાશે.
પાકિસ્તાન દ્વારા અંતિમ ટુર્નામેન્ટ એશિયા કપનું 2023માં આયોજન કરવામાં આવ્યું હતુ. પરંતુ આ ટુર્નામેન્ટ ટીમ ઇન્ડિયાને લીધે હાઇબ્રિડ મોડલમાં રમવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાએ પોતાની છેલ્લી મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં જ રમાઈ હતી.
એવામાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે જશે કે નહીં તે નિર્ણય પણ ભારત સરકાર જ લેશે. જણાવી દઈએ કે, આઈસીસી પોતાના તરફથી કોઈ પણ બોર્ડને પોતાની સરકારી નીતિ વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકે નહીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy