જામનગર તા. 26
જામનગર જિલ્લા જોડિયા તાલુકાના બાલંભા ગામમાં 60 વિઘા જેટલી ખેતીની જમીન બાલંભા ગામના એક જ પરિવારના નવ શખ્સો અને તલાટી તેમજ સર્કલ ઓફિસરે મૃત ખેડૂતની ખોટી સહીઓ કરી કૌભાંડ આચર્યા હોવાનું ખેડૂતની પુત્રીએ જિલ્લા પોલીસવડાને અરજી કરી છે.
મૃતકની કચ્છ જિલ્લામાં રહેતી હાજરાબેન ઈસ્માઈલભાઈએ જિલ્લા પોલીસ વડો અરજી કરી જેમાં જણાવ્યું ચે કે બાલંભા ગામના સર્વે નંબર 1468, 1422, 1331, 127 વિગેરેથી તેમના પિતાજી ઈસ્માઈલભાઈના નામે ખેતીની જમીન આવેલ હતીત જે જમીન તેમના મિત્ર ઓધવજીભાઈ રામભાઈ રામપરિયાને ભાગ ઉપર વાવવા આપેલ હતી અને તેઓ દર વર્ષે ઉપજનો ભાગ પણ આપતા હતાં અને અરજદારના પિતા ઈસ્માઈલભાઈનું તા. 7.10.1988 ના રોજ અવસાન પામેલ અને તેમને સંતાનો પૂત્રીઓ હોય તેઓ પોત પોતાના સાસરે જતી રહેલ દરમિયાન વર્સ 2016 માં જમીનનો ભાગ પાડી અને પોત -પોતાની જમીન મેળવી લેવાનું નકકી થતાં બધી બહેનો બાલંભા મુકામે જઈ તપાસ કરતાં આ કેતીની જમીન તેમના પિતાજીના નામના બદલે ઓધવજી રામપરીયા ના નામે ચડી ગયેલ હોવાનું તેમના પગ નીચેથી જમીન સરકી ગયેલ અને ત્યાર બાદ તેઓએ ગ્રામ પંચાયત કેરીમાંથી જમીન ટ્રાન્સફરઅંગેના દસાતાવેજોની માંગણી કરતાં તેમને દસ્તાવેજ આપવામાં નઆવેલ જેતી તેઓએ જોડિયા કોર્ટમાં ફરિયાદ નોંધાવતા અને કોર્ટે તલાટી, સર્કલ ઓફિસર ને કોર્ટમાં દસ્તાવેજ રજૂ કરવા આદેશ કરતાં તલાટીએ રજૂ કરેલ દસ્તાવેજમાં આ જમીન 2.10.94 ના રોજ ઓધવજીભાઈ સહિતનાઓના નામે ખોટા દસ્તાવેજ, ખોટી સહીઓ કરી તમામ આરોપીએ ગુન્હાહિત કાવતરૂ રચી એકબીજાની મદદગારી કરી જમીન હડપ કરી ગુન્હો કર્યો હોવાનો જણાવી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy